➯અહીં ભારતીય
બંધારણ વિશે માહિતી :
ભારતીય બંધારણ
➩ભારતીય બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે.
➩26 નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ,બંધારણ સભા દ્વારા પ્રચાર કરવામાં આવ્યું
➯તો, જાણીએ એમની રસપ્રદ વાતો
➩૨૬ નવેમ્બરના રોજ દિવસ ઉજવાય છે ,આ દિવસ ઊજવવાની શરૂઆત 2015ના વર્ષ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી બંધારણમાં મહત્વની ભૂમિકા ભજવનાર બાબાસાહેબ આંબેડકરની 2015ના વર્ષમાં 125મી જન્મ જયંતી હતી ,જેના માનમાં વડાપ્રધાને મુંબઈમાં બી આર આંબેડકર સ્મારક નો પાયો નાખ્યો અને સવિધાન દિવસની ઘોષણા કરી .
➩પહેલા આ દિવસ લો દિવસ તરીકે ઓળખાતો પણ હવેથી 26નવેમ્બર બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવશે
➯ભારતના બંધારણનો ઇતિહાસ
➩ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 1935 મા બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી ,1940 મા માંગણી સ્વીકાર્યા બાદ ઓગસ્ટ ઓફર તરીકે ઓળખાય
➩ત્યારબાદ બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર 1946ના રોજ મળી .
➩29 ઓગસ્ટ1947 ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચાઈ
➩26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ પાસ થયું.
➩26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું .
➯ભારતના બંધારણને લગતી વિગતો :
➩બંધારણ ઘડવાનું સૌ પ્રથમ વિચાર સર માનવેન્દ્રનાથ રોયને આવ્યો .
➩ભારતનું બંધારણ 22 વિભાગમાં વહેંચાયેલું છે .
➩મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે .
➩બંધારણ ઘડવાની શરૂઆત કેબિનેટ મિશન યોજના હેઠળ 1946 થઈ હતી .
➩બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા અને જેમાં 296 સભ્યો બ્રિટિશ હિંદના અને ત્રણ સભ્યો દેશી રાજ્યોના રજવાડાના હતા
➩બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા .
➩બંધારણ ઘડવાની શરૂઆત ૯ ડીસેમ્બર ૧૯૪૬ નાં રોજ થઈ હતી .
➩ભારતનું બંધારણ ઘડવામાં 2 વર્ષ ,૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા .
➩ભારતીય બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો તેથી આપણે દર વર્ષે ૨૬મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ .
➯Photo Gallery :
✼સવિધાન આપતા આંબેડકર અને સવિધાન પર હસ્તાક્ષર કરતા પંડિત જવાહરલાલ નેહરુ✼